
ખાનગી વ્યકિતઓએ કરવાની ધરપકડ અને ત્યારપછીની કાયૅરિતિ
"(૧) કોઇ પણ ખાનગી વ્યકિત પોતાની હાજરીમાં બિન જામીની અને પોલીસ અધિકારનો ગુનો કરના અથવા દોષિત ગુનેગારને પકડી અથવા પકડાવી શકશે અને આવી રીતે પકડાયેલ વ્યકિતને નાહક ઢીલ કમૅ વિના તેણે કોઇ પોલીસ અધિકારીને સોપવી કે સોપી દેવડાવવી જોઇશે અથવા કોઇ પોલીસ અધિકારી હાજરન હોય તો તે વ્યકિતને નજીકમાં નજીકના પોલીસ સ્ટેશને પહેરા નીચે લઇ જવી અથવા મોકલવી જોઇશે
(૨) આવી વ્યકિતને કલમ ૪૧ની જોગવાઇઓ લાગુ પડતી હોવાનુ માનવાને કારણ હોય તો તેને પોલીસ અધિકારી ફરીથી પકડી શકશે
(૩) તેણે પોલીસ અધીકાર બહારનો ગુનો કર્યો છે એમ માનવાને કારણ હોય અને કોઇ પોલીસ અધીકારીની માંગણી ઉપરથી પોતાનુ નામઠામ જણાવવાની તે વ્યકિત ના પાડે અથવા એવુ નામઠામ આપે કે જે ખોટુ હોવાનુ માનવાને તે અધિકારી કારણ હોય તો તેના સબંધમાં કલમ ૪૨ની જોગવાઇઓ હેઠળ કાયૅવાહી કરવામાં આવશે પરંતુ તેણે કોઇ ગુનો કયૅ હોવાનુ માનવાને કારણ ન હોય તો તેને તરત છોડી મૂકવામાં આવશે"
Copyright©2023 - HelpLaw